જાણો - વજન ઘટાડવામાં કેવી રીતે ઉપયોગી થાય છે ગ્રીન ટી
💕ગ્રીન ટી ના ફાયદા
- ગ્રીન ટી માં Epigallocatechin-3-gallate નામનું સંયોજન હોય છે.
- તે શરીરનું વજન ઘટાડવામાં અસરકારક ભાગ ભજવે છે.
- આ હર્બલ ટી માં અન્ય ઘણા પ્રકારના લક્ષણો પણ છે અને તેમાંનું એક Antioxidant છે.
- આ એન્ટિ-ઓકસીડંટ ચયાપચયની ક્રિયામાં વધારો કરીને વજન ઘટાડે છે.
- આ ઉપરાંત જો તેનું વ્યાયામ સાથે સેવન કરવામાં આવે તો તે શરીરની ચરબી પણ ઓછી કરી શકે છે.
- આ સંદર્ભે એક વૈજ્ઞાનિક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ગ્રીન-ટી પીવાથી સ્થૂળતા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે મેટાબોલિક રેટમાં વધારો કરીને કેલરીને થોડી ઓછી કરવામાં મદદ કરી શકે છે.
1. ઓછું કેલરી મૂલ્ય હોય છે
જો આહારમાં કેલરીની માત્રા વધારે હોય અને શારીરિક વ્યાયામ નહિવત હોય તો તે સ્થૂળતાનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જેનાથી વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉદભવી શકે છે. પરંતુ જો તેની સામે એક કપ ગ્રીન ટી લેવામાં આવે તો તેમાં ઓછી કેલરી હોવાને કારણે, તેનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી અને તેના લીધે તે વજન ઘટાડવામાં ફાયદો આપી શકે છે. તે એક કુદરતી પીણું છે, જે તૈયાર થવા માટે ફક્ત 5-7 મિનિટ લે છે.
2. ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થાય છે
આપણાં શરીરમાં જે રસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેને મેટાબોલિઝમ કહેવામાં આવે છે. તે શરીરમાં શ્વસન કાર્ય, રક્ત પરિભ્રમણ, શરીરનું તાપમાન, પેશાબ અને મળ દ્વારા શરીરના કચરાને દૂર કરે છે, અને મગજ અને શરીરની કામગીરીમાં સુધારો કરે છે.
3. ભૂખ ઓછી કરવા
4. પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે
એક સંશોધન મુજબ પેટની ચરબીમાં વધારો એટલે કે મેદસ્વીપણું, ડાયાબિટીઝ, હૃદયરોગ અને કેટલાક કેન્સર રોગોનું કારણ બની શકે છે. ગ્રીન ટી આ સમસ્યાના લક્ષણો ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. આમ ગ્રીન ટીનું સેવન પેટની ચરબી, વજન, કોલેસ્ટરોલ અને હાઈ બ્લડપ્રેશર ને નિયંત્રણ રાખવામા અમુક અંશે મદદ કરે છે .
5. ગ્રીન ટી શારીરક કસરત કરવામાં મદદરૂપ થાય છે
ક્યાં સમયે ગ્રીન ટી પીવી યોગ્ય છે ?
સવારે નાસ્તા પછી થોડો સમય અને બપોરે ભોજન પછી ગ્રીન ટી પી શકાય છે. આ સિવાય તમે ગ્રીન ટીમાંથી મેદસ્વીપણાને ઘટાડવા માટે ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું તે સંબંધમાં ડોક્ટરને પણ પૂછી શકો છો.
💕વજન ઘટાડવા માટે ગ્રીન ટી ની દૈનિક જરૂરિયાત કેટલી હોવી જોઈએ?
💕ધ્યાનમાં રાખવાની બાબતો
ગ્રીન ટી ના સેવન સાથે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.- જેમ કે તમે જાણો છો કે ગ્રીન ટીમાં થોડી માત્રામાં કેફીન હોય છે, તેથી જેમને હ્રદયની તકલીફ, બ્લડ પ્રેશર, પેટની તકલીફ, કિડની અથવા યકૃતની સમસ્યા હોય તેઓએ તેનું સેવન ટાળવું જોઈએ.
- કંઈપણ ખાધા પછી તરત જ ગ્રીન ટી ન પીવી.
- ખાલી પેટે ગ્રીન ટી ન પીવી જોઇયે.
- મોડી રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી ન પીવી, તે અનિંદ્રાની સમસ્યાઓનું કારણ બની શકે છે.
- દૂધ અથવા ખાંડ ગ્રીન ટીમાં ઉમેરવી ન જોઈએ.
- સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, થાઇરોઇડ હાઈપરટેન્શન, દર્દીઓ અને માનસિક વિકારના દર્દીઓએ પણ ડ્કટરની સલાહ લઈને જ તેનું સેવન કરવું જોઈએ.
ગ્રીન ટી |